રાષ્ટ્રીય

ઘરનું સરનામુ લોક કલ્યાણ માર્ગ રાખી લેવાથી લોકોનું ભલુ નહી થાય, રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અવાર નવાર દેશમાં વધતી મોંઘવારી, બેરોજગારી સહિત કેટલાક મુદ્દાને લઇને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતા રહ્યા છે. આ વખતે ફરી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ વધતી મોંઘવારી અને બેરોજગારીને લઇને કેન્દ્રની મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે ઘરનું એડ્રેસ કલ્યાણ માર્ગ રાખી લેવાથી કોઇનું કલ્યાણ નથી થતુ.

રાહુલ ગાંધીએ મોંઘવારીને લઇને સીધી રીતે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. કોગ્રેસ નેતાએ મોદી સરકારને એક રીતે કઠેડામાં ઉભી કરતા કહ્યુ કે ઘરનું એડ્રેસ લોક કલ્યાણ માર્ગ રાખી લેવાથી કોઇનું કલ્યાણ નથી થઇ જતુ. દેશમાં મોંઘવારી વધી ગઇ છે અને લોકોની કમાણી ઓછી થઇ રહી છે.

મોંઘવારીને લઇે રાહુલનો કેન્દ્ર સરકાર પર કટાક્ષ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યુ, ઘરનું એડ્રેસ લોક કલ્યાણ માર્ગ રાખી લેવાથી લોકોનુ કલ્યાણ નથી થતુ. વડાપ્રધાને સાડા 6 કરોડ કર્મચારીઓના વર્તમાન અને તેમના ભવિષ્યને બરબાદ કરવા માટે મોંઘવારી વધારો, કમાણી ઘટાડો મૉડલને લાગુ કર્યુ છે.

Related Posts