અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ૈંજીઇર્ં) નોંધપાત્ર પ્રગતિ કરી છે. ૈંજીઇર્ંએ ૧૪ જુલાઈએ બપોરે ૨.૩૫ વાગ્યે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સિદ્ધિથી ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોએ ખૂબ જ ગર્વ અનુભવ્યો છે. ચંદ્રયાન-૩ મિશન ૨૪ અથવા ૨૫ ઓગસ્ટના રોજ ચંદ્રના ભાગ પર ઉતરાણ કરશે. ત્યારે ચંદ્રયાન-૩નું સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ થાય તે માટે અમેરિકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પ્રાર્થના કરી હતી. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી તથા હરિભક્તોએ આ મિશન શોધ અને સંશોધનના નવા યુગની શરૂઆત કરે અને તે આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહે તેવી શુભેચ્છા સાથે હ્રદયપૂર્વક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
ચંદ્રયાન-૩ના લોન્ચિંગ બાદ સફળતાપૂર્વક ઉતરાણ માટે ેંજીછ માં સ્વામિનારાયણ સંતોએ કરી પ્રાર્થના

Recent Comments