ચકલી પ્રેમી દાતા કાર્યકર્તાઓનું શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં અભિવાદન શ્રી વિશ્વાનંદ માતાજી દ્વારા ચકલી દિવસ પ્રસંગે કરાયું સન્માન જાળિયા ગુરુવાર તા.૨૧-૩-૨૦૨૪ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ચકલી પ્રેમી દાતા કાર્યકર્તાઓનું અભિવાદન કરાયું છે. ચકલી દિવસ પ્રસંગે શ્રી વિશ્વાનંદ માતાજી દ્વારા આ સન્માન થયું છે. પર્યાવરણ વિદ્દ અને નિવૃત્ત શિક્ષક શ્રી રમેશભાઈ પટેલનાં સંકલન સાથે દાતાઓનાં સહયોગ સાથે ભાવનગર તથા બોટાદ પંથકમાં ચકલી માળા વિતરણ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઉમરાળા તાલુકાનાં જાળિયા શ્રી શિવકુંજ આશ્રમમાં ચકલી પ્રેમી દાતા કાર્યકર્તાઓનું ચાદર વડે અભિવાદન કરાયું છે.સ્વર્ગસ્થ જયેશભાઈ મોરડિયાનાં સ્મરણાર્થે આ માળાનાં દાતા શ્રી ખીમજીભાઈ મોરડિયા તથા શ્રી મંથનભાઈ મોરડિયા સાથે કાર્યકર્તાઓ શ્રી રાજુભાઈ અણઘણ તથા શ્રી રાજુભાઈ મોણપરાનું ચકલી દિવસ પ્રસંગેશ્રી અભિવાદન સન્માન કરવામાં આવ્યું. શ્રી શિવકુંજ આશ્રમ દ્વારા થતી વૃક્ષારોપણ, ચકલી માળા વિતરણ તેમજ અન્ય સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓથી સન્માનિત કાર્યકરો પ્રભાવિત થયાં હતાં.
ચકલી પ્રેમી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા અભિવાદન

Recent Comments