બાબરા તાલુકાના ચમારડી ગામે ગત તારીખ ૧૧ નાં રોજ સાંજ ના સમયે દોઢ વર્ષ ના બાળક ને સાપ કરડી જતાં મોત નિપજ્યું હતું. સમગ્ર ગામ માં શોક નું મોજું ફરી વળ્યુ. પ્રાપ્ત વિગતો મુજબ બાબરા તાલુકાના ચમારડી ગામે રહેતા સંજયભાઇ રમેશભાઈ લાલૈયા ના દોઢ વર્ષ ના પુત્ર કિર્તન ને સાપ કરડી જતાં મોત નિપજ્યું હતું. પોતા ના ઘરે લૌકિક ક્રિયા નો પ્રસંગ હોય તે સમયે બાળકો રમતા હતા ત્યારે કિર્તન રમતા રમતા ફળીયા પડેલ કુંડી નજીક જતાં તે સાપ અગાઉ થીજ હોય કિર્તન ને કુંડી ના પાછળ ના ભાગે કોય કારણોસર રમતા રમતા હાથ નાખતા સાપે ડંખ માર્યો હતો. એકા એક બાળક રડવા લાગતા પરીવાર દ્રારા હાથ જોતા કોઈ જનાવર કરડ્યા નું લાગતા તપાસ કરતા સાપ દેખાય આવ્યો હતો. જાણ થતાં પ્રથમ જસદણ ની ખાનગી હોસ્પિટલમાં ત્યાર બાદ ગોડલ ની ખાનગી હોસ્પિટલમાં જતા ત્યાં હાજર તબિબે મૃત જાહેર કરેલ હતુ. નાના એવા ગામ માં આ સમાચાર વાવુ વેગે પ્રસરી જતાં ગામ આખામાં શોક નું મોજું ફરી વળ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બાર દિવસ પહેલા જ માજી નું અવસાન થયું હતું ત્યા ઘર મા બીજું મરણ થય જતા પરીવાર પર આભ તુટી પડયો છે. સમગ્ર ગામ માં કિર્તન ના અવસાન થી શોક નું મોજું ફરી વળ્યુ છે
ચમારડી ગામે ડોઢ વર્ષ ના બાળક ને સાપ કરડી જતાં મોત.

Recent Comments