આજના સમયમાં લુપ્ત થતી ચકલીઓને બચાવવા સંસ્થા દ્વારા દર વર્ષે ૧૦૦૦ ઉપરાંત ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ શાળાના બાળકો તથા કોલેજની દીકરીઓ અને ગ્રામજનોને આ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ ચકલીઘર ના માધ્યમથી ઘેર-ઘેર ચકલીઓનો કલરવ થશે. અને આસપાસનું વાતાવરણ નયનરમ્ય બનશે. તો આપણે પણ એવો સંકલ્પ કરીએ કે આપણા ઘરે અવશ્ય એક ચકલી ઘર લાગવશુ અને ચકલીઓને બચાવશું. આ ચકલીઘરની સાથે પાણી માટેના કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષીને પીવા માટેનું ઠંડુ પાણી રાખી શકાય.પૂ. રતિદાદાએ પક્ષી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ચકલીઘર, તથા પાણીના કુંડાનું વિતરણ કરી સમાજને નવું ઉદાહરણ બતાવવાની સાથે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. ચકલીઘર અને પાણીના કુંડા માટે આર્થિક સહયોગ નવીનભાઈ શેઠ – મુંબઈ તરફથી પ્રાપ્ત થયો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેક્ટર શ્રી ભારત ભુષણ મહેશભાઈ મહેતા તથા આચાર્ય શ્રી શીતલબેન મહેતા, તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી આ અભિયાનને સફળ બનાવ્યું હતું.
ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા ચકલી ઘર તથા પાણીના કુંડા નું વિતરણ કરાયું.

Recent Comments