ગુજરાત

ચાલુ વર્ષે વિશ્વના કુલ ક્રુઝ જહાજાેમાંથી ૨૫% જહાજાે અલંગમાં ભંગાણ માટે આવ્યા

જળ પરિવહન ક્ષેત્રે માલવાહક અને મુસાફર (ક્રુઝ) જહાજ એમ બે પ્રકારના શિપ ઉપયોગમાં આવતા હોય છે. વર્ષ ૨૦૨૨ના પ્રથમ ૧૧ માસ દરમિયાન સમગ્ર વિશ્વમાંથી કુલ ૧૫ ક્રુઝ જહાજાેએ પોતાની અંતિમ સફર ખેડી છે. અને તે પૈકી ૨૫.૫૦% ક્રુઝ જહાજ અલંગમાં આવ્યા છે, જ્યારે ૫૫% ક્રુઝ ફક્ત તૂર્કિમાં ભંગાણાર્થે ગયા છે. પાકિસ્તાનના ફાળે ૪ શિપ ગયા હતા.માલવાહક જહાજાેની સરખામણીએ ક્રુઝ જહાજ પોતાની વૈભવી સવલતોને કારણે દરેક વર્ગના લોકોને આકર્ષે છે. આવા પ્રકારના જહાજમાં ફર્નિચર, રાચ-રચીલું, ક્રોકરી, ગેમ્સ, જીમ સહિતની અનેક વૈભવી ચીજ વસ્તુઓ જહાજમાં સામેલ હોય છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ગત સપ્તાહે એક સાથે બે સિસ્ટર ક્રુઝ જહાજ ભાંગવા માટે આવી પહોંચ્યા છે. પ્લોટ નં.૬૧માં સુપરસ્ટાર એક્વારીસ (એક્વા), પ્લોટ નં.૧૧માં સુપરસ્ટાર જેમિની (જેમ) દ્વારા ખરીદવામાં આવ્યા છે.વર્ષ ૨૦૨૨માં સમગ્ર વિશ્વમાંથી કુલ ૧૫ જહાજ અત્યારસુધીમાં ભંગાણાર્થે મોકલવામાં આવ્યા છે.

તે પૈકી અલંગમાં ૪, પાકિસ્તાનમાં ૪, તૂર્કિમાં ૭ જહાજ ગયા છે. જ્યારે બાંગ્લાદેશના શિપબ્રેકરો ક્રુઝ જહાજ ભાંગવા માટે તત્પરતા દાખવી નથી. ક્રુઝ જહાજાે ભાંગવાની બાબતમાં અલંગનું સૌથી નજીકનું હરિફ તૂર્કિ છે. વર્ષ ૨૦૧૯માં સમગ્ર વિશ્વમાં માત્ર ૧ ક્રુઝ શિપ અંતિમ સફરે પહોંચ્યુ હતુ. ૨૦૨૦માં ૯, ૨૦૨૧માં ૧૧ અને વર્ષ ૨૦૨૨માં રેકોર્ડબ્રેક ૧૫ ક્રુઝ જહાજ અંતિમ સફરે મોકલવામાં આવ્યા છે.વર્ષ ૨૦૨૨માં ભાંગવા માટે વેચવામાં આવેલા ૧૫ ક્રુઝ જહાજાેની સરેરાશ આયુષ્ય ૩૮ વર્ષ હતી. જ્યારે વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન વેચવામાં આવેલા ક્રુઝ શિપની સરેરાશ આયુષ્ય ૪૩ વર્ષ હતી. છેલ્લા પાંચ માસથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભારે મંદી પ્રવર્તિ રહી છે, અને આ પાંચ માસ દરમિયાન માત્ર ૨૧ જહાજ ભાંગવા માટે આવ્યા છે.

જાે કે, નવેમ્બરમાં થોડો સળવળાટ જાેવા મળી રહ્યો છે, અને અત્યારસુધીમાં ૧૧ શિપ આવ્યા છે. ડિસેમ્બરમાં પણ જહાજનો પુરવઠો સાર રહેશે. પરંતુ વર્ષ ૨૦૨૩ની શરૂઆતથી અલંગમાં પુનઃ જહાજનો જથ્થો અગાઉની જેમ જળવાય રહે તેવી શક્યતાઓ અગ્રણી શિપ રીસાકલર્સ વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય રીતે અલંગમાં ૧૦હજાર ટન સુધીનું જહાજ કાપવામાં સરેરાશ ૩ મહિનાનો સમય લાગે છે. પરંતુ ક્રુઝ જહાજ ૨૦હજાર ટનથી વધુનું હોય તો તેને ૧૦ મહિના જેવો સમય લાગે છે. ક્રુઝ જહાજમાં સામેલ વૈભવી સામગ્રીઓ જાળવીને ઉતારવી પડે છે, ઉપરાંત તેના કટિંગ કામમાં પણ વાર લાગે છે. જાે કે ક્રુઝ જહાજ સમગ્ર ભંગાય જાય ત્યાં સુધીમાં શિપબ્રેકરને તેજી-મંદી બંનેની અસરોમાંથી પસાર થવું પડે છે.

Related Posts