અમરેલી

ચિત્તલ માં સ્વ.પ્રતાપભાઈ પંડ્યાની સ્મૃતિમાં વાંચન શિબિર યોજાઇ


બાલ કૃષ્ણ સાહિત્ય સભા, ચિતલ દ્વારા સરસ્વતિ વિદ્યા  મંદિર ખાતે પુસ્તક પ્રેમી પ્રતાપભાઈ પંડ્યા ની સ્મૃતિમાં  વાંચન શિબિર  વિદ્યા ભારતી ટ્રસ્ટ ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા ના અધ્યક્ષતા માં યોજાયજેનું  ઉદઘાટન  લોક સાહિત્ય સેતુ ના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી  અને સૌ. યુનિ.ના સેનેટ સભ્ય પાર્થિવભાઈ જોશી ના હસ્તે  કરવા માં આવેલ,  આ પ્રસંગે  જિલ્લા પંચયતના સભ્ય સુરેશભાઈ પાથર,લોક સાહિત્યકાર કૌશિક ભાઈ દવે, ભરતભાઈ  ભટ્ટની ખાસ હાજરીમાં  વાંચન પ્રવૃત્તિ ની સુંદર કામગીરી બદલ નટુભાઈ ભાતિયા નું વિશેષ સન્માન કરવામાં આવેલઆ શિબિરમાં સ્વામિનાાયણ ગુરુકુળ, શિવમ્ ,જ્ઞાન ગીતા, સરસ્વતિ સ્કૂલ ના  વિદ્યાર્થીઓ  ભાગ લીધેલ શિબિર માં ઉમેશભાઈ જોશી,મનીષાબેન પડયા, બિંદુબેન જોશી, પારૂલબેન  મહેતા, ડો. પ્રકાશભાઈ દેવમોરારી દ્વારા વિદ્યા્થીઓને પુસ્તક પ્રમાણપત્ર આપી પ્રોત્સહિત કરેલ..કાર્યક્રમ નું સંચાલન નરેશભાઈ રાજ્યગુરૂ એ આભાર વિધિ  કવિ કનવર, સ્વાગત કવિ હસુભાઈ મહેતા એ કરેલશિબિર ને સફળ બનાવવા બિપીનભાઈ દવે ,હસુભાઈ ડોડીયા, દિવ્યેશભાઈ બોદર, દિનેશભાઈ મેસિયા,મહેશભાઈ કલેણા,મહેશભાઈ સિતપરા વગેરેજહમત ઉઠાવી હતી

Related Posts