પૂજ્ય મોરારીબાપુના પિતાજી પૂજ્ય શ્રી પ્રભુદાસબાપુની તિથીએ(કારતક વદ બીજ) તલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષ પૂજ્ય મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોની વંદના પણ કરવામાં આવે છે. તા.૧૭/૧૧ ને સવારે ૯ વાગ્યે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ગામની ૬ દીકરીઓના સમુહલગ્ન યોજવામાં આવશે. તે દિવસોમાં શ્રી ચિત્રકૂટધામ દ્વારા મહુવા હવેલીમાં શ્રી ઠાકોરજીનો બડો મનોરથ યોજાશે. એ પ્રમાણે પૂજ્ય પ્રભુદાસ બાપુના પુણ્ય સ્મરણમાં મોરારિબાપુની પ્રેરણા અને આશિષથી ગુજરાતના સંતવાણીના ભજનિકો અને વાદ્યકારોને આગામી તા.૧૭/૧૧/૨૪ ની રાત્રીએ ૮ કલાકે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં પૂજ્ય બાપુના શુદ્ધ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં: (૧) સંતવાણી સર્જકની વંદના હેઠળ ભક્ત કવિશ્રી ધીરા ભગત (ગઢડા) જેમના પ્રતિનિધિ: શ્રી. નારાયણભાઈ રબારીને એનાયત કરવામાં આવશે. (૨) શ્રી રામદાસજી ગોડલીયા (જુનાગઢ,) ભજનિક (૩) શ્રી ચંદુભાઈ ડાભી, (જુનાગઢ,) વાદ્ય સંગત-બેન્જો (૪) શ્રી ભૂપત પેંટર (રાજકોટ,) વાદ્ય સંગત તબલાં (૫) શ્રી વિજયકુમાર ગોસાઈ (જુનાગઢ,) વાદ્ય સંગત, મંજીરાં. આ કાર્યક્રમમાં અનેક જાણીતા ભજનિકો, વાદ્યકારો અને ભજનપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પૂજ્ય બાપુના ઉદ્બોધન બાદ સંતવાણી યોજાશે.
ચિત્રકૂટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોને એવોર્ડ અપાશે

Recent Comments