દામનગર ના રાભડા ચિરંજીવી પાર્થ પ્રદીપભાઈ પરમાર ના જન્મદિવસની અનોખી ઉજવણી…
રાભડા ગામના રહીશ, શ્રી રાભડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રદીપભાઈ પરશોત્તમભાઈ પરમાર ના ત્રણ વર્ષીય સુપુત્ર ચિરંજીવી પાર્થ નો જન્મદિવસ ભવ્ય રીતે શાળા ના પટાંગણમાં ઉજવવામાં આવ્યો…
પ્રદીપભાઈ ની ઉદાત ભાવના કે મારા નાનકડા બાળકની જન્મ દિવસ ની ઉજવણી માતા સરસ્વતીના મંદિરે શાળાના બાળકોને ખુશ કરીને જ ઉજવી શકાય એ ન્યાયે શાળાની અંદર જરૂરિયાત મંદ બાળકોને ચપ્પલ વિતરણ, સ્કૂલબેગ ન હોય તેવા બાળકોને સ્કૂલબેગ વિતરણ, ચોપડા ના હોય તેવા બાળકોને ચોપડાનું વિતરણ અને તમામ બાળકોને ભરપેટ ભોજન કરાવી બાળ દેવોના રૂડા આશીર્વાદ મેળવ્યા હતા.
આ ઉપરાંત શાળાને ઉત્તમ ગુણવત્તા વાળી 6 નંગ
ખુરશીની ભેટ પણ ચિરંજીવી પાર્થના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવી હતી.
ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પ્રદીપભાઈ ના આ સરાહનીય કાર્યની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી. અને જો લોકો આમાંથી પ્રેરણા મેળવે તો સરકારી શાળાઓ સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રનું ઘરેણું બની શકે તેમ છે.
શાળા પરિવાર દ્વારા પ્રદીપભાઈના આ ઉત્તમ વિચારોને સાલ રૂપી સ્નેહ અર્પણ કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું અને તેમના ઉત્તમ વિચારો માટે શાળા પરિવારે રાજીપો વ્યક્ત કર્યો હતો..
Recent Comments