રાષ્ટ્રીય

ચીને સૈન્ય ગતિવિધિ વધારતા સરહદ પર ફરી તણાવ વધ્યો, આર્મી ચીફ લદ્દાખ પહોંચ્યા

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા મડાગાંઠ પર ૧૮માં રાઉન્ડની વાતચીત થઈ છે, પરંતુ બંને દેશો વચ્ચે વાતચીત માટે કોઈ ઉકેલ મળ્યો નથી. આ દરમિયાન સૂત્રો પાસેથી સમાચાર આવ્યા છે કે ચીને એલ.એ.સી (ન્છઝ્ર) નજીક પોતાની સૈન્ય ગતિવિધિઓ વધારી દીધી છે. આ સાથે, મંત્રણાના છેલ્લા રાઉન્ડમાં, ચીન ઇચ્છતું હતું કે તેને ન્છઝ્ર નજીક ભારતીય બાજુથી ૧૫-૨૦ કિલોમીટરનો બફર ઝોન આપવામાં આવે જેથી તે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી શકે. પરંતુ ભારતે ચીનની આ વાત સ્વીકારવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં ચીન જે રીતે પોતાની સૈન્ય શક્તિ ઘટાડવાને બદલે એલ.એ.સી (ન્છઝ્ર) ને વધારી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને આર્મી ચીફ મનોજ પાંડેએ લદ્દાખમાં ૧૪ કોર્પ્સના હેડક્વાર્ટરની મુલાકાત લીધી. આર્મી ચીફ મનોજ પાંડેએ અહીં સૈનિકો સાથે મુલાકાત કરી અને સૈન્ય તૈયારીઓની સમીક્ષા કરી. આર્મી ચીફ એલએસીના કેટલાક વધુ ફોરવર્ડ લોકેશનની પણ મુલાકાત લેશે. થોડા દિવસો પહેલા જનરલ મનોજ પાંડેએ પણ સિયાચીન ગ્લેશિયરની મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતે પૂર્વી લદ્દાખના નેઓમામાં સૈન્ય અભ્યાસ કર્યો હતો. આર્મી ચીફએ વધુમાં કહ્યું કે, અહીંથી ચીનને મજબૂત સંદેશ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો કે ભારતીય દળો તેમની જમીનની સુરક્ષા માટે તૈયાર છે. ભારત અને ચીન વચ્ચે એલ.એ.સી (ન્છઝ્ર) વિવાદને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. બંને દેશો વચ્ચેનો વિવાદ મે ૨૦૨૦માં પેંગોંગ લેકથી શરૂ થયો હતો, જે હજુ પણ ચાલુ છે. આ વર્ષો દરમિયાન બંને પક્ષો વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીતના અનેક રાઉન્ડ થયા છે. પરંતુ આ બેઠકોમાંથી કોઈ સાર્થક નિરાકરણ આવ્યું નથી.

Related Posts