ગુજરાત સરકારે સ્પાર્ધાત્મક પરીક્ષા મામલે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા ૪૧ વર્ષની કરવામાં આવી છે. રાજ્યની સ્પાર્ધાત્મક પરીક્ષાની ઉંમરમાં(છખ્તી) છૂટછાટ આપવામાં આવી છે. પ્રધાનમંડળની બેઠકમાં સૌથી મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જ્યારે શિક્ષણપ્રધાને જણાવ્યું કે કોરોનાકાળમાં પરીક્ષાઓ મોડી લેવામાં આવી છે. બિન અનામત વર્ગના ઉમેદવારોની વય મર્યાદા એક વર્ષ વધારાઈ, તારીખ ૧-૯-૨૦૨૧થી લઈને ૩૧-૮-૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
કોરોનાની સ્થિતિ માં અનેક પરીક્ષાઓ ભરતી માટેની તકલીફો યુવાનોએ વેઠી છે તેમાંથી બહાર કાઢવા, માટે સ્પર્ધાત્મક પરીક્ષા માં એક વર્ષની છૂટ આપી છે જનરલ કેટરીના ૩૬ વર્ષ કર્યા છે, શિક્ષણપ્રધાનના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગે યુવાનોની લાગણીને ધ્યાનમાં રાખીને આ ર્નિણય કર્યો છેગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં છૂટછાટ આપવા મુદ્દે કોંગ્રેસે ભાજપ(મ્ત્નઁ)સરકાર સામે નિશાન તાક્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ આવે ત્યારે ભાજપ ભરતીની યુવાનોને લાલચ આપે છે.


















Recent Comments