તાજેતરમાં જ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીની તારીખો અંગે જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત થતાંની સાથે જ પાંચ રાજ્યોમાં આજથી આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. મહત્વનુ છે કે ચૂંટણીની જાહેરાત થયા બાદ તરત જ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળી હતી. બેઠકમાં ચૂંટણી સંબંધિત મુદ્દાઓ અને ભાજપને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જાતિગત વસ્તી ગણતરીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીમાં મળેલી ઝ્રઉઝ્રની આ બેઠક બાદ મીડિયાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જાેકે તેમણે એ પણ જણાવ્યુ ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ ગઠબંધન તેને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે કોંગ્રેસના મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યોમાં જાતિગત વસ્તી ગણતરી કરાવશે. ર્ંમ્ઝ્રનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ દેશની લગભગ ૫૦ ટકા વસ્તી ધરાવે છે. પરંતુ સરકારમાં તેમની કોઈ ભૂમિકા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં ર્ંમ્ઝ્ર અને આદિવાસીઓની જે ભાગીદારી હોવી જાેઈએ તે ખરેખર નથી. આવી પરિસ્થિતિમાં જાે જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે તો સત્ય બહાર આવશે કે ખરેખર વસ્તી ગણતરીથી શા માટે ભાગી રહ્યું છે?
તેમણે વધુમાં કહ્યું કે, ભારતના ગઠબંધનના ઘણા પક્ષો પણ જાતિ આધારિત ગણતરીને સમર્થન આપશે. એક-બે પક્ષોના મંતવ્યો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના પક્ષો તેને ટેકો આપશે. મ્ત્નઁ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપે દેશમાં જે પ્રકારે નફરત ફેલાવી છે તે કોઈને પસંદ નથી. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે ર્નિણય લીધો છે કે અમે જાતિગત વસ્તી ગણતરી લાગુ કરીશું. અમે ભાજપ પર દબાણ લાવીશું અને તેમને આ કામ કરાવીશું. ભાજપ આ કામ ન કરે તો છોડી દે.
Recent Comments