ગુજરાત

ચૈતર વસાવા ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન અંતર્ગત લોકસભા ૨૦૨૪ની ચૂંટણી લડશે

ગુજરાત રાજકારણના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી છે કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. લોકસભા ૨૦૨૪માં ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ.માં ચૈતર વસાવા ચૂંટણી લડશે. મનસુખ વસાવા સામે ચૂંટણી લડવાની ચૈતર વસાવાએ જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હજુ ગઇકાલે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનું છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે હવે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે તેવી માહિતી સામે આવી છે. જાે કે ગઠબંધન અંગે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જાે કે આમ આદમી પાર્ટી દ્વારા હવે ચૈતર વસાવાની આપ અને કોંગ્રેસના ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ. ગઠબંધન હેઠળ ચૂંટણી લડાવવામાં આવે તેવી માહિતી મળી છે.

સમાચાર એજન્સી ટી વી નવ ગુજરાતી દ્વારા સમગ્ર મામલે ચૈતર વસાવા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. ત્યારે ચૈતર વસાવાએ પોતે લોકસભા ચૂંટણી માટે લડવાની તૈયારી હોવાનું જણાવ્યુ હતુ. જાે કે તેમણે જણાવ્યુ હતુ કે તેમની આમ આદમી પાર્ટી દ્વારા સત્તાવાર રીતે તેમને કોઇ જાણ નથી કરવામાં આવી. જાે કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થશે અને જે રીતે આમ આદમી પાર્ટી નક્કી કરશે તે અમે કરીશુ તેવુ ચૈતર વસાવાએ જણાવ્યુ હતુ. ચૈતર વસાવાએ જણાવ્યુ કે લોકસભા ચૂંટણી મે જાતે લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અહીંના લોકોના ઘણા પ્રશ્નો છે અને લોકો પણ ઇચ્છી રહ્યા છે કે અહીંની સમસ્યાઓનો હલ લાવવામાં હું મદદ કરુ. ચૈતર વસાવાએ તેમ પણ જણાવ્યુ હતુ કે જાે ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન ન થાય પછી પણ હું ભરુચમાંથી લોકસભા ચૂંટણી લડવા તૈયાર છું. મહત્વનું છે કે જાે આપ અને કોંગ્રેસ અલગ થઇને લડે તો મત વહેચાઇ જાય તેમ છે. તેવામાં ચૈતર વસાવા આદિવાસી વિસ્તારનો એક મજબૂત ચહેરો માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ આપ-કોંગ્રેસ ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ. ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડે તેવા પણ સમાચાર સામે આવેલા છે. ત્યારે ચૈતર વસાવા ભરુચ બેઠક પરથી ચૂંટણી લડે તેવી પુરેપુરી શકયતા જાેવા મળી રહી છે.

Related Posts