ચોમાસાના આગમનની સાથે જ દેશમાં મોંઘવારી વધી છે. ચોખા, લોટ, દાળ, ખાંડ, ડુંગળી સહિતની મોટાભાગની ખાદ્ય ચીજાે મોંઘી થઈ ગઈ છે. પરંતુ જે બાબત સામાન્ય લોકોને સૌથી વધુ રડાવી રહી છે તે છે મસાલાના વધતા ભાવ. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર મહિનામાં હળદરના ભાવમાં ૧૮૦ %નો વધારો થયો છે. જેના કારણે હળદરનો ભાવ સાતમા આસમાને પહોંચી ગયો છે. હાલમાં જથ્થાબંધ બજારમાં હળદરનો ભાવ ૧૮,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. જેના કારણે સામાન્ય લોકોનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. વાસ્તવમાં, હળદર ખૂબ જ ઉપયોગી મસાલો છે.
આના વિના આપણે સ્વાદિષ્ટ શાકભાજીની કલ્પના પણ કરી શકતા નથી. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને ફ્રેશ રહે છે. તેથી, હળદર એક એવો મસાલો છે જેનો ઉપયોગ ગરીબમાં ગરીબ અને સૌથી ધનિક લોકો કરે છે. આવી સ્થિતિમાં ભાવ વધારાને કારણે સૌથી ગરીબ લોકોના ઘરના બજેટને નુકસાન થયું છે. પરંતુ હવે હળદરના ભાવ વધવાનું સાચું કારણ સામે આવ્યું છે. કહેવાય છે કે ગત સિઝનમાં ખેડૂતોએ ૨૦ થી ૩૦ ટકા ઓછા વિસ્તારમાં હળદરની વાવણી કરી હતી. તેના કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે. આ સિવાય મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કમોસમી વરસાદથી હળદરના પાકને ભારે નુકસાન થયું છે. જેના કારણે ઉત્પાદન પર અસર પડી હતી જેની સીધી અસર હળદરના ભાવ પર પડી હતી. નિષ્ણાતો કહે છે કે અલ નીનોની અસરને કારણે ઘણા વિસ્તારોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થયો છે.
આનાથી હળદરના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હતો, જેણે ભાવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે, દેશમાંથી હળદરની પણ મોટા પાયે નિકાસ કરવામાં આવી છે. એપ્રિલથી જૂન ૨૦૨૩ની વચ્ચે દેશમાંથી હળદરની નિકાસ ૧૬.૮૭ ટકા વધીને કુલ ૫૭,૭૭૫.૩૦ ટન થઈ છે. તે જ સમયે, દક્ષિણ ભારતમાં આ વખતે હળદરના ઉત્પાદનમાં ૪૫ થી ૫૦ ટકાનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ભારત લગભગ ૧.૫૦ કરોડ બેગ હળદરની આયાત કરે છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં દેશમાં હળદરનું ઉત્પાદન માત્ર ૫૫-૫૬ લાખ બેગનું જ થયું છે. જાે કે આગામી તહેવારોની સિઝનમાં તેમાં વધુ વધારો થશે. આ પછી કિંમતો ઘટી શકે છે.
Recent Comments