અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું મિતિયાળા ગામ…… ગામની 1500 ની વસ્તી છે ને 400 જેટલા મકાનો છે…. મીતિયાળા ગામ મિતિયાળા અભ્યારણ જંગલને અડીને આવેલ ગામ હોવાથી ચોમાસાના શરૂઆત માજ જંગલ તરફથી જંગલી ઈયળો મિતિયાળા ગામમાં પ્રવેશી છે ને આખા મિતિયાળા ગામને ઈયલોએ બાનમાં લીધું હોય તેમ ચારેકોર ઈયળો ઈયળોથી તરબતર ગામ થઈ ગયું છે મિતિયાળા વાસીઓને રસોઈ બનવવામાં પણ અગવડતા થઈ રહી છે રસોડાથી લઈને ઘરોમાં પાણી પીવાના માટલાથી લઈને ઢોર ઢાંખર બાંધવાના વાડામા ઈયળો નો જમાવડો થઈ ગયો છે મિતિયાળા વાસીઓ વાડી ખેતરે જઈ શકતા નથી ને મહિલાઓ ઈયળો ને સાફ કરી કરી ને થાકી જાય છે પણ ઈયળો કોઈપણ પ્રકારે નાશ પામતી નથી ને મહિલાઓને ભારે અગવડતા ભોગવી રહી છે
મિતિયાલા ગામે જાણે કીડીયારું ઉભરાયું હોય તેમ ઈયળોએ ગામ આખા ને બાનમાં લીધું છે છેલા એક અઠવાડિયાથી ઈયળોનો ઉદભવ લાખો નહિ પણ કરોડો ની સંખ્યામાં હોય તેમ આખા ગામમાં મહિલાઓ રસોઈ કરવી મુશ્કેલ છે તો નાના બાળકોના ઘોડિયા પાસે ઈયળો પડી પાથરી જોવા મળી રહી છે ને ઈયળો પર કોઈપણ પ્રકારનો પાઉડર, દવા, ઓઇલ કે કશું જ ફેર પડતો નથી સવારથી ઈયળો વચ્ચે મિતિયાળા ગામ ઘેરાઈ ગયું છે ને મિતિયાળાના ઉપસરપંચે મિતિયાલા અભ્યારણ માંથી આ ઈયળો આવતી હોવાની આશંકાઓ ગામ ના ઉપ સરપંચ શાહિદ ભાઈ જણાવી રહ્યા છે
ચોમાસાના પ્રારંભેજ જંગલ વિસ્તારના ગામડાઓમાં જંગલી ઈયળોના આંતકથી ગામ આખું તોબા પોકારી ઉઠ્યુ છે ને ગામમાં લાખો નહિ પણ કરોડો ની સંખ્યામાં જંગલી ઈયળોના સામ્રાજ્યથી સ્થાનિક ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

Recent Comments