ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્છર કરડવાથી આવા રોગ ફેલાય છે, આથી આ રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી જરુરી છે. સાવચેતીના ભાગરુપે ઘરના તમામ પાણી ભરેલા પાત્રોને હવાચુસ્ત ઢાંકણ ઢાંકીને રાખવા, અઠવાડિયે એક વખત પાણી ભરેલા વાસણોને ઘસીને સાફ કરીને સુકવ્યા બાદ જ ફરીથી ભરવા, ફુલદાની, પક્ષીકુંજ, ફ્રીઝની ટ્રે, કુલરના પાણીનો દર અઠવાડિયે નિકાલ કરવો, ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવો. ટાયર, નાળિયેર કાચલી સહિતના ઉપયોગમાં ના હોય તેવા સામાનનો નિકાલ કરવો. ઘરની અગાસી પર પાણીનો ભરાવો ન થવા દેવો તથા મચ્છર દાનીનો ઉપયોગ કરવો. દિવસ દરમિયાન શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા સહિતની કાળજી લેવી. જો તાવ આવે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા અમરેલી જિલ્લા મેલેરિયા અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.
ચોમાસાની ઋતુ દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગ ન ફેલાય તે બાબતે કાળજી લેવા જિલ્લાના નાગરિકોને અનુરોધ

Recent Comments