ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૦૧૨૩૮/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ , ૪૧૯ , ૧૨૦ ( બી ) , ૧૧૪ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૩ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , તેમજ મજકુર આરોપીનું નામ . કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે સુરત મુકામેથી મજકુર લીસ્ટેડ આરોપીને પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ આરોપીની વિગતઃ સુરેશભાઇ વાલજીભાઇ ઇટાળીયા ઉર્ફ ઘનશ્યામ પટેલ , ઉં.વ .૪૨ , ધંધો.વેપાર , રહે.મુળ ગામ ભાભણ , રામજી મંદિરની સામે , તા.જી.બોટાદ , હાલ સુરત , અમરોલી , છાપરા ભાઠા રોડ , રાધીકા ફ્લેટ ૪૦૧ , તા .જિ.સુરત
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવીદભાઇ ચૌહાણ , તથા પો.કોન્સ . નિકુલસિંહ રાઠોડ , રાહુલભાઇ ઢાપા , તુષારભાઇ પાંચાણી , શોકભાઇ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments