રાષ્ટ્રીય

છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા, સક્રિય કેસોની સંખ્યા ૪૪,૯૯૮એ પહોંચી

કોરોના વાયરસના નવા કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૪,૯૯૮ થઈ ગઈ છે. કોરોનાએ ભારતીયોની ચિંતા વધારી દીધી છે. જાે કે, આ સમયગાળા દરમિયાન ૫ હજારથી વધુ સંક્રમિત દર્દીઓ સાજા પણ થયા છે. આ સિવાય દૈનિક પોઝિટીવીટી દર વધીને ૪ ટકાથી વધુ થઈ ગયો છે. સાપ્તાહિક પોઝિીટીવીટી દર પણ ૪ ટકાથી વધુ છે. લોકોને ફિજિકલ અંતરનું પાલન કરવા અને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૦,૧૫૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોવિડ-૧૯ના સક્રિય કેસની સંખ્યા વધીને ૪૪,૯૯૮ થઈ ગઈ છે.

દૈનિક પોઝિટીવીટી દરમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫,૩૫૬ કોરોના દર્દીઓ સંક્રમણમાંથી સાજા થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૪૨,૧૦,૧૨૭ થઈ ગઈ છે. ભારતમાં રિકવરી રેટ હાલમાં ૯૮.૭૧ ટકા છે. સક્રિય કેસોની સંખ્યા કુલ કેસના ૦.૧૦ ટકા છે. દેશમાં કોરોનાએ જાેર પકડ્યું છે. દૈનિક પોઝિટીવીટી દર વધીને ૪.૪૨ ટકા થયો છે. સાપ્તાહિક હકારાત્મકતા દરમાં પણ વધારો થયો છે અને તે ૪.૦૨ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨ લાખ ૨૯ હજાર ૯૫૮ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ૧૦ હજાર ૧૫૮ લોકો પોઝિટિવ આવ્યા હતા.

Related Posts