મેઘરાજાએ ફરી એકવાર રાજ્યમાં જમાવટ કરી છે. રાજ્યના મોટા ભાગમાં વરસાદ વરસ્યો છે. જાે આપણે છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો કુલ ૧૭ જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. કુલ ૧૭ જિલ્લાઓના ૭૯ તાલુકામાં છેલ્લા ૨૪ કલાલકમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે પંચમહાલના મોરવા હડફમાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના નિઝરમાં પણ ૨ ઈંચ વરસાદ વરસ્યો છે. તો છોટા ઉદેપુરમાં ૩૭ મીમી વરસાદ વરસ્યો છે. તો દાહોદના લીમખેડામાં ૨૫ મીમી વરસાદ વરસ્યો છે. તેમજ દાહોદના ફતેપુરમાં ૩૫ મીમી વરસાદ વરસ્યો છે.
સૌથી ઓછો વરસાદ નવસારીના જલાલપોરમાં અને તાપી જિલ્લાના વ્યારામાં ૧ મીમી વરસાદ પડ્યો છે. તો આ તરફ સુરતના ઓલપાડ, માંગરોળ તાલુકામાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સુરતમાં ૨૦ દિવસ પહેલા જ ખોલેલો કોઝવે ઓવરફ્લો થતા બંધ કરાયો છે. સુરતના રાંદેર અને કતારગામને જાેડતો કોઝવે બંધ કરાયો છે. કોઝવે પર પાણી ૬ મીટરની સપાટી પર પહોંચી ગયુ છે. જેના પગલે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે પર પાણીની ભયજનક સપાટી ૬ મીટર છે અને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Recent Comments