અમરેલી

જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે જરૂરી સૂચનો આપતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા

  અમરેલી જિલ્લા ઈન્ચાર્જ કલેકટરશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ વિવિધ પ્રશ્નો રજૂ કરી તે પ્રશ્નોના નિવારણ માટે ચર્ચા કરી હતી. બેઠકમાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે જરૂરી સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં વાસ્મો, જળ સિંચન, રોડ રસ્તાની મરામતને લગત પ્રશ્નો, લાઠી બાબરા તાલુકા ગામડાઓમાં પવનચક્કી વિષયક પ્રશ્નો, લીડ બેંક અંતર્ગત લોન અને પાક વીમો, નવી આંગણવાડીના બાંધકામ,  સરકારી જગ્યામાં થયેલા દબાણ દૂર કરવા, ચિત્તલમાં નવા બસસ્ટેશનના નિર્માણ સહિત વિકાસ કાર્યોને લગતા પ્રશ્નો, એસ.ટીના કેટલાક રૂટમાં નિયમિત્તાની રજૂઆતો હતી.

આ પ્રશ્નોના નિવારણ અર્થે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમસ્યાઓનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે સંબંધિત કચેરીના વડા સાથે સંકલન કરવામાં આવ્યું હતું. જિલ્લાએ, જિલ્લામાં વિવિધ કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને આંતરિક સંકલનમાં સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આગોતરું આયોજન કરી તેનો અમલ કરવા બાબતે સૂચના આપી હતી. જિલ્લાના વિવિધ પ્રશ્નોના જવાબની નકલ   સાંસદશ્રી, ધારાસભ્યશ્રી સહિતના જન પ્રતિનિધિશ્રીઓને સમયસર મળી રહે તે બાબતે વિશેષ ધ્યાન આપવામાં સૂચના આપવામાં આવી હતી.

           જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં  બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, જનપ્રતિનિધિશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ કર્યુ હતુ. સંક્લન બેઠક ભાગ ૦૨માં નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ વિવિધ કચેરીના અધિકારીશ્રીઓનો અવેઇટ પેપર્સ, પેન્શન કેસ, ચુકવણા અને વસૂલાત સહિતની કામગીરી સત્વરે પૂર્ણ કરવા અને પેન્ડીંગ પત્રો અને કેસના નિકાલ માટે સૂચનો કર્યા હતા.

Related Posts