ભાવનગર

જન, જળ, જમીન અને પર્યાવરણ સાજા સારા રાખવાં એજ પ્રાકૃતિક ખેતી સાચો માર્ગ ; કિસાન ગોષ્ટીનો સુર

આત્મા પ્રોજેક્ટ ભાવનગર દ્વારા જેસર તાલુકાના વીરપુર ગામે યોજાયેલ કિસાન ગોષ્ટીમાં ખેડૂતોએ બહોળી સંખ્યામાં સક્રિયપણે ભાગ લીધો. પ્રાકૃતિક ખેતી પ્રચારક રોહિત ગોટીએ હાલમાં બેફામ વપરાતાં જંતુનાશક અને ખાતરથી જન જળ જમીન અને પર્યાવરણનાં અરોગ્યને થતી ભયંકર નુકશાની બાબત સાવધાન કર્યા તથા ગૌ આધારિત મૂળ ભારતીય કૃષિ સંસ્કૃતિ તરફ પાછા વળી ઝેર મુક્ત પાપ મુક્ત ખેતી કરી મબલખ પાક સાથે પુણ્ય લણવાં માટે સૌને પ્રેરિત કર્યા. પ્રાકૃતિક ખેતીનાં સિદ્ધાંત સરળ ભાષામાં સમજાવી ખેડૂતની મુંજવણ દૂર કરવાનું કાર્ય અજીતસિંહ ગોહિલ દ્વારા થયું. સાથોસાથ પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતોનાં અનુભવ સાંભળી નવા વિશ્વાસ સાથે પ્રાકૃતિક ખેતી કરવાં ઉપસ્થિત કિસાન પ્રેરણા પામ્યા.

Related Posts