જમ્મુ-કાશ્મીર પર આતંકવાદીઓની હંમેશા નજર રહી છે. ૈંજીૈંજી, અલ કાયદા જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો લાંબા સમયથી ભારતમાં પોતાની હાજરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અલકાયદા ભારતના જમ્મુ-કાશ્મીર અને બાંગ્લાદેશ, મ્યાનમારમાં પગપેસારો કરી રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના આગમન બાદ જાણે આ સંગઠનને તાકાત મળી છે. આ આતંકવાદી સંગઠને તાલિબાન સાથે મિત્રતા વધારી છે. તેના અહીં ૪૦૦ ફાઇટર છે. અલકાયદા છઊૈંજી ની એક અલગ પાંખ જમ્મુ કાશ્મીર અને બાંગ્લાદેશ જેવા ભારતીય ઉપખંડમાં કામ કરે છે. ઓસામા મહમૂદ તેનું નેતૃત્વ કરી રહ્યા છે. યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારોમાં તેની પાસે ૨૦૦ લડવૈયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલ કાયદા નવા સ્વરૂપમાં છઊૈંજીની સ્થાપના કરી રહ્યું છે અને જમ્મુ કાશ્મીર, બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી તેની પહોંચ વધારી રહ્યું છે. અલકાયદાના કેટલાક લડવૈયાઓ કાં તો ઇસ્લામિક સ્ટેટ-ખોરસન પ્રાંત સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા તો આ સંગઠનમાં જાેડાવા માટે તૈયારી કરી રહ્યા છે. છઊૈંજી પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (્્ઁ)માં જાેડાવા માટે પણ તૈયારી કરી રહ્યું છે. ્્ઁ પાકિસ્તાનમાં સત્તા મેળવવા માગે છે. અફઘાનિસ્તાનની તર્જ પર તાલિબાનની આ પાંખ પાકિસ્તાનમાં સત્તા મેળવવા માંગે છે.
ટીટીપીએ પાકિસ્તાનમાં પોતાની લડાઈ તેજ કરી છે. છઊૈંજીએ ૨૦૧૪માં પાકિસ્તાન આર્મીના એક બ્રિગેડિયરની હત્યા કરવાનો દાવો કર્યો હતો. ૨૦૧૭માં પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. આ સંગઠને હજુ સુધી પાકિસ્તાનની બહાર કોઈ મોટો હુમલો કર્યો નથી. છઊૈંજીની શરૂઆત અલ કાયદાના ભૂતપૂર્વ વડા અયમાન અલ-ઝવાહિરી દ્વારા ૨૦૧૪માં કરવામાં આવી હતી. પાકિસ્તાની મૂળના આસીમ ઉમર તેના પ્રારંભિક સભ્ય હતા. હવે તેનું નેતૃત્વ ઓસામા મહમૂદ કરી રહ્યા છે, જે પાકિસ્તાની મૂળના હોવાનું કહેવાય છે. ઉમર યુએસ-અફઘાન સૈન્ય ઓપરેશનમાં માર્યો ગયો હતો. આ પછી, ૨૦૧૯ માં, મહેમૂદે તેની બાગડોર સંભાળી. અત્યાર સુધી છઊૈંજી અને ૈંજી-દ્ભ વચ્ચે કોઈ ગઠબંધન હોવાના કોઈ અહેવાલ આવ્યા નથી. છઊૈંજીનો ભારતમાં કોઈ આધાર નથી. ૨૦૧૫માં તેના ભારતીય વડા આસિફની ધરપકડ કરવામાં આવી હતી.
Recent Comments