જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગની ઘટના સામે આવીજવાબી કાર્યવાહીમાં બીએસએફનો એક જવાન ઘાયલ, તમામ જવાનો હાઈ એલર્ટ પર

આ સમયે જમ્મુ-કાશ્મીરના અખનૂરથી મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં બુધવારે સવારે લગભગ ૨.૩૫ વાગ્યે સરહદ પારથી પાકિસ્તાન તરફથી ઉશ્કેરણી વગરના ગોળીબારની ઘટના સામે આવી છે. જાેકે મ્જીહ્લએ આ ફાયરિંગનો બહાદુરીપૂર્વક જવાબ આપ્યો હતો, પરંતુ આ જવાબી કાર્યવાહીમાં મ્જીહ્લનો એક જવાન ઘાયલ થયો હતો. હવે સરહદ પર તૈનાત સૈનિકો સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. ગોળીબારની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે એક દિવસ પહેલા બીએસએફના એક ઉચ્ચ અધિકારીનું નિવેદન આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરહદો પર ઘૂસણખોરી રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે જેથી જમ્મુમાં ૩૭૦ને હટાવ્યા બાદ અને કાશ્મીરમાં પહેલીવાર યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે નહીં.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સીમાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે કારણ કે મ્જીહ્લએ પોલીસ સહિત ભાગીદાર એજન્સીઓ સાથે તમામ જરૂરી ઘૂસણખોરી વિરોધી વ્યવસ્થા કરી છે. હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે આવી કોઈ પ્રવૃત્તિ થશે નહીં. આ પહેલા ભારતીય સેનાએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એલઓસી નજીક નૌશેરા વિસ્તારમાં રવિવાર અને સોમવારે રાત્રે શરૂ કરાયેલી ઘૂસણખોરી વિરોધી કાર્યવાહીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષા દળોએ આ માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં આ પહેલા જમ્મુના સુંજવાન આર્મી બેઝની બહાર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો હતો, જેનું બાદમાં હોસ્પિટલમાં મોત થયું હતું.
Recent Comments