જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં મોટો આતંકી હુમલો થયો છે. અહીં ગંતમુલ્લા વિસ્તારમાં આતંકવાદીઓએ નિવૃત્ત એસએસપીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નિવૃત્ત જીજીઁનું નામ મોહમ્મદ શફી મીર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મોહમ્મદ શફી મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે ટ્વીટ કર્યું છે કે ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારની નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. પુંછ હુમલા બાદ ૨૩ ડિસેમ્બરે જમ્મુના અખનૂરના ખૌર સેક્ટરમાં સરહદ નજીક સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. અહીં ચાર ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ તેમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી.. સુરક્ષા દળોએ કહ્યું કે બાકીના ત્રણ આતંકવાદીઓ તેમના સાથીનો મૃતદેહ ખેંચીને લઈ ગયા હતા. આપને જણાવી દઈએ કે પૂંછમાં આતંકી હુમલા બાદ પાંચ જવાનો શહીદ થયા હતા. અહીં ત્રણ લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે. તણાવને જાેતા ગઈકાલથી આ વિસ્તારમાં મોબાઈલ સેવા બંધ છે. સરકારે મૃતકોના પરિવારજનો માટે વળતર અને નોકરીની જાહેરાત કરી છે. મૃતદેહ મળી આવેલા લોકો ૨૭ થી ૪૨ વર્ષની વય જૂથના હતા. સેનાની જનસંપર્ક શાખાએ શનિવારે ટિ્વટ કરીને કહ્યું કે તે નાગરિકોના મોતની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં નિવૃત્ત જીજીઁની ગોળી મારી હત્યા

Recent Comments