છેલ્લા કેટલાય સમયથી જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ ની ઘટનાઓ બની રહી છે જેમાં નિર્દોષ લોકોને ટાર્ગેટ કરી ભય ફેલાવવા નું કાવતરું આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 14 કલાકમાં જમ્મુ કાશ્મીરના રાજૌરી નજીકનાં ડાંગરી ગામ ખાતે બે મોટા આતંકી હુમલા થયા હતા અને આ બંને હુમલાઓમાં બે બાળકો સહિત છ નિર્દોષ લોકો માર્યા ગયા છે. ત્યાંના રહેવાસીઓમાં ભયનો માહોલ ઉભો કરી ત્રાસવાદને ફેલાવવાની આ ઘટના વખોડવા લાયક છે.
પૂજ્ય મોરારીબાપુ દ્વારા તાજેતરની આ આતંકી ઘટનામાં માર્યા ગયેલા 6 લોકોને સાંત્વના રાશિ પહોંચતી કરવામાં આવશે. શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિજનોને 11000-11000 ની સહાયતા રાશિ પ્રેષિત કરવામાં આવેલ છે. જમ્મુ કાશ્મીરનાં રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ મૃતકના પરિજનોને દિલસોજી પાઠવી છે. ઉપરાંત આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેઓ સત્વરે પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એ માટે પૂજ્ય મોરારીબાપુ એ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરેલ છે.તેમ જયદેવભાઇ માંકડ ની એક યાદીમાં જણાવાયું છે.
Recent Comments