કોંગ્રેસના નેતા જયરામ રમેશે તાજેતરના હિંડનબર્ગ રિપોર્ટને લઈને અદાણી જૂથ પર નિશાન સાધ્યું છે અને ત્નઁઝ્ર બોલાવવાની માંગ કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ ખાતાઓમાં ૩૧૧ મિલિયન યુએસ ડોલર એટલે કે રૂ. ૨,૬૧૦ કરોડ જમા કરવામાં આવ્યા હતા. આ તપાસ ૨૮ ડિસેમ્બર ૨૦૨૧થી ચાલી રહી હતી. આ સાથે તેણે સુપ્રીમ કોર્ટને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. તેમણે આગળ લખ્યું કે ૯ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ સ્વિસ ફેડરલ ક્રિમિનલ કોર્ટના આદેશમાં, આ ખાતાઓને ફ્રીઝ કરવાની અરજીને નકારી કાઢવામાં આવી હતી અને તેને “અપારદર્શક ભંડોળ” તરીકે વર્ણવવામાં આવ્યું હતું. કોર્ટની નજરમાં, આ ફંડમાં મની લોન્ડરિંગ અને ઉચાપત સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી મેળવેલ નાણા હોવાની શંકા છે. સ્વિસ કોર્ટે શોધી કાઢ્યું હતું કે ચાંગ અને તેના સહયોગીઓ બજારની હેરાફેરીમાં સામેલ હતા. અદાણી ગ્રુપ પર ઘણા વર્ષોથી આનો આરોપ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે અદાણી ગ્રુપ સાથે ચાંગના ગાઢ સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. તેમણે કહ્યું કે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીઆરપી) દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ચાંગ અને તેના સહયોગી નાસિર અલી શબાન અહલીએ ઈન્ડોનેશિયાથી અદાણી દ્વારા આયાત કરવામાં આવતા કોલસાના ભાવમાં ૫૨ ટકાનો વધારો કર્યો હતો. તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. જયરામ રમેશે આરોપ મૂક્યો હતો કે ર્ંઝ્રઝ્રઇઁએ શોધી કાઢ્યું છે કે ચાંગ અને અહલી સાથે જાેડાયેલી ટ્રેડિંગ ફર્મ્સ દ્વારા ૨૦૨૧ અને ૨૦૨૩ વચ્ચે ?૧૨,૦૦૦ કરોડ ભારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં અદાણી પાવર પાસેથી ખરીદેલી વીજળીના ભાવમાં ૧૦૨ ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે અદાણીની વાર્તામાં ચાંગની ભૂમિકા ઘણી જૂની છે. આની તપાસ થવી જાેઈએ. આ સાથે કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે કે વડાપ્રધાન તેમના મિત્રની સમૃદ્ધિ અને રક્ષણ માટે સંકલ્પબદ્ધ છે. સ્વિટ્ઝર્લેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં ભારતની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેની તેમને કોઈ પરવા નથી.
Recent Comments