ચીન સાથે અમારો મુશ્કેલ ઇતિહાસ છે. ચીન સાથે સરહદ સંબંધિત ઘણા કરારો છે ઃ ડૉ. એસ. જયશંકર વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે ચીન સાથેના સંબંધોને લઈને અમેરિકાના ન્યૂયોર્કમાં નિવેદન આપ્યું છે. એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટમાં બોલતા જયશંકરે કહ્યું, ‘ચીન સાથે અમારો ઇતિહાસ મુશ્કેલ છે. ચીન સાથે સરહદ સંબંધિત ઘણા કરારો છે. ૨૦૨૦ માં, ચીને ન્છઝ્ર પરના કરારનું ઉલ્લંઘન કર્યું હતું અને અમે તેનો જવાબ આપ્યો છે. જ્યાં સુધી ચીન શાંતિ અને સૌહાર્દ સ્થાપિત નહીં કરે ત્યાં સુધી સંબંધોને આગળ વધારવું મુશ્કેલ બનશે.
તેમણે કહ્યું કે, મુખ્ય મુદ્દો બંને દેશોની સરહદ પર પેટ્રોલિંગનો છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારત-ચીન સંબંધો એશિયાના ભવિષ્યની ચાવી છે. જાે વિશ્વ બહુધ્રુવીય બનશે તો એશિયાને પણ બહુધ્રુવી બનાવવું પડશે. ચીન અને ભારત વચ્ચેના સંબંધો એશિયા અને વિશ્વના ભવિષ્યને અસર કરશે. ભારત પાકિસ્તાન સાથે પણ આ જ વલણ અપનાવી રહ્યું છે. પાકિસ્તાન સાથેના સંબંધો પર ભારત કહેતું આવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન તેની ધરતી પરથી ભારતમાં આવતા આતંકવાદીઓને કાબૂમાં નહીં લે ત્યાં સુધી ભારત તેના સંબંધો સામાન્ય નહીં કરે.
જયશંકર ન્યૂયોર્કમાં એશિયા સોસાયટી અને એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત ‘ભારત, એશિયા અને વિશ્વ’ શીર્ષકના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. જ્યારે તેમને ચીન સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ચીન સાથે અમારો મુશ્કેલ ઇતિહાસ છે. ૨૦૨૦ની ગલવાન અથડામણ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે હાલમાં બંને દેશો વચ્ચે મુખ્ય મુદ્દો પેટ્રોલિંગનો છે. તેમણે કહ્યું કે ૨૦૨૦માં ચીની સૈનિકો ભારતીય સૈનિકોની ખૂબ નજીક આવી ગયા હતા, ત્યારપછી બંને બાજુના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. જયશંકરે કહ્યું કે આ સ્થિતિએ બંને દેશોના સંબંધોમાં તિરાડ પાડી છે. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી બંને પક્ષો સરહદ પર શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત નહીં કરે ત્યાં સુધી ભારત-ચીન વ્યાપક સંબંધોને આગળ વધારવું મુશ્કેલ બનશે.
ગલવાન નદી અક્સાઈ ચીનમાંથી આવે છે અને ભારતની શ્યોક નદીને મળે છે. ૨૦૨૦ માં, ચીની સૈનિકોએ તેમની પેટ્રોલિંગની મર્યાદા ઓળંગીને ન્છઝ્ર પાર કરી હતી. જે બાદ બંને દેશના સૈનિકો સામસામે આવી ગયા હતા. સૈનિકો વચ્ચેની આ અથડામણમાં લગભગ ૨૦ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. ચીન તરફથી જાનહાનિના અલગ-અલગ અહેવાલો છે, કેટલાકે કહ્યું કે ૪ અને કેટલાકે ૪૦ ચીની સૈનિકો માર્યા ગયા. ચીની સરકારે તેના કોઈપણ સૈનિકના મોતનો ઈન્કાર કર્યો હતો.
Recent Comments