જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા -2024ની બીજી પ્રતીક્ષા યાદી તા. 31/07/2024 ને બુધવારના રોજ જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ શાળા – ટીમાણાના વધુ 4 બાળકો પસંદગી પામ્યા છે. જેમાં ગોહિલ કર્મદિપ બળવંતભાઈ (પિંગળી), લાધવા ભગીરથ રમેશભાઈ (ઠાડચ), મોરી વિશ્વરાજ મનુભાઈ (પિંગળી) તથા જાની ભવ્ય લક્ષ્મણભાઈ (ટીમાણા)ની પસંદગી થવા પામી છે. ઉલ્લેખનીય છે કે પરિણામ દરમિયાન ગણેશ શાળા – ટીમાણાના 12 બાળકો તથા પ્રથમ પ્રતીક્ષા યાદીમાં 3 બાળકો પસંદગી પામ્યા હતા જ્યારે આ બીજી પ્રતીક્ષા યાદીમાં વધુ 4 બાળકો પસંદગી પામ્યા છે. એમ ગણેશ શાળા – ટીમાણાના આ વર્ષે કુલ 19 બાળકો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા – 2024માં પસંદગી પામ્યા છે. પસંદગી પામનાર તમામ બાળકોને ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા – 2024માં ગણેશ શાળા – ટીમાણાના 19 બાળકોની પસંદગી

Recent Comments