અમરેલી

જાફરાબાદના ધારાબંદર ખાતે તાઉતે વાવાઝોડામાં ગુમ થયેલા ડોક્યુમેન્ટ ઈસ્યુ કરવા ખાસ કેમ્પ યોજાયો

જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે વહીવટી તંત્ર જાફરાબાદ દ્વારા આયોજીત તાઉતે વાવાજોડામાં ગુમ થયેલ ડોક્યુમેન્ટ ઇસ્યુ કરવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે વાત કરતા રાજુલા નાયબ કલેક્ટર શ્રી કે. એસ. ડાભી જણાવે છે કે આજે ધારબંદર ખાતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુમ થયેલા દસ્તાવેજો નવા કાઢી આપવા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી દિવસોમાં દરિયાકાંઠા વિસ્તારોના અસરગ્રસ્ત ગામોમાં આવા કેમ્પ યોજી લોકોને આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, મનરેગા કાર્ડ, બેંકના દસ્તાવેજો કે અન્ય નવા પ્રમાણપત્રો કે દાખલાઓ કાઢવામાં આવશે.

બપોરે ૧ વાગ્યાના અહેવાલ પ્રમાણે રેશનકાર્ડમાં નામ દાખલ કરવાની ૮ અરજીઓ, રેશનકાર્ડમાં નામ કમી કરવાની ૫ અરજીઓ, રેશનકાર્ડમાં નામ સુધારા માટેની ૧૪ અરજીઓ, ડુપ્લીકેટ રેશનકાર્ડ અને જોબકાર્ડ માટેની ૨૮ અરજીઓ, આવક અને રહેવાસી અંગેના દાખલા માટેના ૭૫ દાખલા, બેંકને લગતી ૧૭ અરજીઓ અને આધારકાર્ડને લગતી ૩૧ અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરી ૧૭૮ જેટલા દાખલાઓ અને કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.

Related Posts