સેવા સેતુ કાર્યક્રમ એ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ છે. અરજદારોની અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ થાય તે ઉદ્દેશ્ય સાથે જિલ્લાના જાફરાબાદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં, આવકનો દાખલો, ડીવમીંગ, મિલકતની આકારણીનો ઉતારો, જન્મ મરણ પ્રમાણપત્ર અને લગ્ન નોંધણી, મેડીસીન સારવાર, હેલ્થ વેલનેસ કાર્ડ, આધારકાર્ડ, પશુઓની પ્રજનનલક્ષી સારવાર, રાશનકાર્ડમાં નામમાં સુધારો, પી.એમ. જે. મા અરજી, રાશનકાર્ડમાં નામ દાખલ કરવું, કસ્તુરબા પોષણ સહાય યોજના અને રાશન કાર્ડમાં નામ કમી કરવા સહિતની બાબતો અન્વયે અરજીઓનો ૧૦૦ ટકા નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ ૧૭ સેવાઓ માટે મળેલી ૭૧૭ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. સરકારના સેવા સેતુ કાર્યક્રમ થકી સરકારી સેવાઓનો લાભ અરજદારોને ત્વરાએ મળી રહ્યો છે.
Recent Comments