સાંજે દેવભૂમિ દ્રારકા જીલ્લાના જામખંભાળીયામાં સરકારી જીલ્લા પુસ્તકાલયના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રંસંગે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પુસ્તક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જાણીતા હાસ્યકલાકાર-સમાજસેવક જગદીશ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ બન્ને મહાનુભાવો દ્રારા લાયબ્રેરીમાં અભ્યાસ કરીને સરકારી નોકરી પ્રાપ્ત કરેલા ત્રીસ વિદ્યાર્થીઓનું સન્માન પણ થયું હતું.
ગુજરાત રાજ્ય ગ્રંથાલય બોર્ડના નિયામક પંકજભાઈ ગોસ્વામી અને મદદનીશ ગ્રંથાલય નિયામક મોઢ તેમજ સ્થાનિક લાયબ્રેરીના ગ્રંથપાલની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ સંપન્ન થયું ત્યારે મોટી સંખ્યામાં નગરજનો અને પુસિતકપ્રેમીઓ હાજર રહ્યા હતા.જગદીશ ત્રિવેદીએ પ્રતિભાવમાં શહીદો માટે મોટી રકમનું દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ભારતીય સેનાના ભૂમિદળનો બહું મોટો કેમ્પ વરસોથી કાર્યરત છે એ સૌ કોઈ જાણે છે. આ કેમ્પસની બહાર પાકીસ્તાન સાથેના યુદ્ધ દરમ્યાન પાકીસ્તાની સૈનિકો પોતાની તોપ મૂકીને ભાગી ગયા હતા એ પાકીસ્તાની તોપ ભારતીય સૈનિકોની વીરતાને સલામી ભરતી ઉભી છે.
થોડા દિવસો પહેલા આ કેમ્પસના કમાન્ડીંગ ઓફીસર અને કર્નલ દીપકરાજ શર્મા તરફથી હાસ્યકલાકાર અને સમાજસેવક ડો.જગદીશ ત્રિવેદી કેમ્પસમાં પધારવાનું નિમંત્રણ મળ્યું હતું.
એમણે ત્યાં જઈને જોયું તો કેમ્પસનાં આઠ જેટલા મોટા ઓફીસર્સ અને મોટી સંખ્યામાં સૈનિકો એમના સ્વાગત માટે તૈયાર હતા. ત્યાં આવેલા ઓડીટોરીયમમાં ડો. જગદીશ ત્રિવેદીની સમાજસેવા માટે અને ખાસ કરીને સૈનિકો અને શહીદો પ્રત્યેક લાગણી બદલ મોમેન્ટો આપીને રેજીમેન્ટસ તરફથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
જગદીશ ત્રિવેદીએ હીન્દી ભાષામાં સૈનિકોનો જુસ્સો વધે એવું પ્રેરણાદાયી પ્રવચન કર્યુ હતું અને પોતે *પુલવામા હુમલા વખતે* અને *હર ઘર તિરંગા* અભિયાન વખતે સૈનિક રાહતફંડમાં પાંચ-પાંચ લાખનું અનુદાન આપી ચૂક્યા છે છતાં ભવિષ્યમાં શહીદો માટે મોટી રકમ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
દેવભૂમિ દ્રારકા જીલ્લાના જામખંભાળીયામાં હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ પોતાના સાસુના નામની તદ્દન નવી સરકારી પ્રાથમિક શાળા બનાવીને સરકારને સુપ્રત કરી હતી.
આ પ્રસંગે ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોર, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ગીરીશભાઈ ભીમાણી, તથા નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઉપકુલપતિ ચેતનભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ શાળા જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આઠમી સરકારી શાળા હતી જેનું માતુશ્રી ભાનુબહેન વસંતલાલ ભટ્ટ પ્રાથમિક શાળા એવું નામકરણ કરવામાં આવ્યું હતું.
આ શાળાના લોકાર્પણ સાથે જગદીશ ત્રિવેદીના વ્યક્તિગત દાનની રકમ પાંચ કરોડને પાર કરી ગઈ છે. એમણે આરોગ્ય અને શિક્ષણ પાછળ કુલ અગિયાર કરોડ રૂપિયાનું દાન કરવાનો મનોરથ કરેલ છે અને એ માટે ૧૨/૧૦/૨૦૧૭ થી પોતાના દેશ-પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક તેઓ દાન કરી રહ્યા છે.
આ કાર્યક્રમમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જીતુભાઈ દ્રારકાવાળા, વસંત પરેશ બંધુ , પરસોત્તમપરી ભજનીક , વિનુ ચાર્લી, મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા , તેજસ પટેલ, ચંદ્રેશ ગઢવી અને મનન રાવલ જેવા ઘણાં કલાકારો, લેખકો, કવિઓ અને મોટી સંખ્યામાં જામખંભાળીયાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments