સૌરાષ્ટ - કચ્છ

જામનગરના બાણુગાર ગામે ૧૧ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયું

જામનગરના મોટી બાણુગાર ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.

સપ્તાહમાં ૨૫ જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા સ્વૈચ્છિક લોકડાઉનનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૧૧ એપ્રિલ સુધી લોકડાઉન પાળવામાં આવશે. દૂધની ડેરી સવારે માત્ર ૨ કલાક જ ખુલ્લી રહેશે. સંપૂર્ણ લોકડાઉનની રાતના ૮ વાગ્યથી અમલવારી કરવામાં આવશે.

દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન અપાયું છે. આજથી ૬ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન અપાયું છે. સવારના ૧૦ વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રહેશે અને નિયમનો અનાદર કરનાર વેપારીને ૧૦૦૦નો દંડ કરવામાં આવશે.

Related Posts