જામનગર મનપાએ વાઇબ્રન્ટ સમિટનો લક્ષ્યાંક પૂર્ણ કરવા આવાસ, ભૂગર્ભ ગટર સહિતના લોકલ કામ પણ ગણાવી દીધા હોવાનું જાણવા મળતા મ્યુનિ.કમિશ્નરને જામનગર મહાનગરપાલિકાએ વાઇબ્રન્ટ સમિટમાં ૧૫૬ એમઓયુનુ લીસ્ટ મોકલી આપ્યું છે. પરંતુ અત્યારે ગાંધીનગર વીડીયો કોન્ફરન્સ ચાલુ હોવાથી કયાં એમઓયુ મોકલાયા છે તે બાબતે હું કંઇ કહી શકું તેમ નથી. – વિજયકુમાર ખરાડી, કમિશ્નર, જામનગર મહાનગરપાલિકાજામનગર મનપાએ વાઇબ્રન્ટ સમિટના કામની સંખ્યાનો લક્ષ્યાંક પૂરો કરવા આવાસ, ભૂગર્ભ ગટર સહિતના લોકલ કામ પણ ગણાવી દેતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.
આટલું જ નહીં સ્વચ્છ ભારત મિશન અને સ્થાનિક વોટર વર્કસના કામ પણ ઠપકાર્યા છે. મહાપાલિકાને લક્ષ્યાંક ૧૫૩ કામનો અપાયો હતો જેની સામે ૧૫૬ કામ મોકલ્યા છે. પરંતુ તેમાં મહાપાલિકાના ફકત ૨૫ કામ છે બાકી બધા ખાનગી પ્રોજેકટનો સમાવેશ થાય છે. રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવા હોડ જામી છે. પરંતુ વાઇબ્રન્ટ સમિટમાં જે એમઓયુ થાય છે તેમાંથી મોટાભાગના સ્ર્ંેં સમયસર પૂર્ણ થતાં નથી તે વાસ્તવિકતા છે. જામનગર મહાનગરપાલિકાએ વાઇબ્રન્ટ સમિટમાં સ્ર્ંેં માટે ૧૫૩ કામનો લક્ષ્યાંક અપાયો હતો. જેની સામે મનપાએ ૧૫૬ કામ મોકલ્યા છે. નવાઇની વાત એ છે કે, તેમાં ફકત મનપાના ૨૫ કામ છે. તેમાં પણ શહેરમાં હાલમાં ચાલી રહેલા ફલાય ઓવર, ભૂગર્ભ ગટરનું રીસ્ટોરેશન કામ તથા આવાસ અને ભૂર્ગભ ગટરના લોકલ કામનો સમાવેશ થાય છે. આટલું ઓછું હોય તેમ સ્વચ્છ ભારત મીશન અને સ્થાનિક વોટર વર્કસના કામ પણ ઠપકારી દીધા છે.
૧૫૬ માંથી ૨૫ કામ મહાપાલિકાના છે, બાકી અન્ય કામ ખાનગી પ્રોજેકટના મૂકતા મહાપાલિકાની એમઓયુની કામગીરી સામે સવાલ ઉઠયા છે. નોંધનીય છે કે, દર વર્ષે વાઇબ્રન્ટ માં મનપા દ્વારા મોટા ઉપાડે કરોડોના એમઓયુ કરાયે છે. તેમાંથી મોટા ભાગના એમઓયુ સમયસર પૂર્ણ થતાં નથી. બીજીબાજુ ખાનગી પેઢી દ્વારા પણ વાઇબ્રન્ટમાં એમઓયુ કરાય છે. પરંતુ નાણાંની તંગી સહિતના કારણોસર કાં તો એમઓયુ સમયસર પૂર્ણ થતા નથી કે પડતા મૂકવામાં આવે છે.
Recent Comments