ભાવનગર

જાળિયા ગામે જાળેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા

જાળિયા ગામે જાળેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશેજાળિયા સોમવાર તા.૧૩-૧૧-૨૦૨૩જાળિયા ગામે આગામી મંગળવારથી જાળેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.ઉમરાળા તાલુકાના જાળિયા ગામે શ્રી જાળેશ્વર મહાદેવ બિરાજે છે. અહી ગ્રામજનો દાતાઓના સહયોગથી શિવાલય નવનિર્માણ થતાં આગામી મંગળવાર તા.૧૪થી ગુરુવાર તા.૧૬ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. નાનકડા ગામમાં નૂતન વર્ષના પ્રારંભે યોજાનાર આ ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે ભારે ભાવ અને ઉત્સાહ રહેલો છે.

Related Posts