ભારત સરકાર દ્વારા ખરીફ અને રવિ પાક-૨૦૨૩-૨૪ તુવેર માટે રૂ.૭,૦૦૦, ચણા માટે રૂ.૫,૪૪૦ અને રાયડા માટે રૂ. ૫,૬૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યા છે. જિલ્લાના તમામ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી અન્વયે તા.૦૫.૦૨.૨૦૨૪ થી તા.૨૯.૦૨.૨૦૨૪ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વી.સી.ઈ મારફત ખેડૂતોની નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ જાણકારી માટે નજીકના સ્થળે ૭-૧૨, ૮—અ, તલાટી કમ મંત્રીનો વાવેતરનો દાખલો, આધારકાર્ડ અને બચત ખાતાની બેંક પાસબુક નકલ અથવા કેન્સલ ચેકની નકલ લઈને જવાનું રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
જિલ્લાના ખેડૂતોએ રવિ પાક-૨૦૨૩-૨૪ ટેકાના ભાવે ખરીદી અન્વયે ઓનલાઈન અરજી કરવી


















Recent Comments