અમરેલી

જિલ્લામાં આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી સભા સરઘસ અને હથિયારબંધી

અમરેલી, તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ (શનિવાર) અમરેલી જિલ્લામાં આગામી દિવસોમાં આવતા વિવિધ તહેવારોની ઉજવણી ઉપરાંત હાલની વર્તમાન સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત જાહેર સુલેહ-શાંતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે તા.૧૬ થી તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩  સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવાની પણ મનાઈ અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતના પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.  ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમ ગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી કર્મચારી-અધિકારીને, શારીરિક અશક્ત વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ અને કલમ-૧૩૫ અન્વયે સજા અને દંડને પાત્ર છે.

Follow Me:

Related Posts