અમરેલી

જિલ્લામાં બે મિનીટનું મૌન પાળી શહિદ દિનની ઉજવણી

દેશના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્‍યા છે તેવા શહીદ વીરોની સ્‍મૃતિમાં આજે શહિદ દિન નિમીતે બે મિનીટનુ માૈન પળાયુ હતુ. અમરેલી સહિતની સરકારી કચેરીમા અધિકારી, કર્મચારીઅાે દ્વારા બે મિનીટનુ માૈન પાળી શહિદાેને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા.

અમરેલીમા સવારે 11 કલાકે અહીની કલેકટર કચેરી, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે અધિકારીઅાે અને કર્મચારીઅાે દ્વારા બે મિનીટનુ માૈન પાળી શહિદાેને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. સમગ્ર જિલ્લામા અાજે શહિદ વીરાેની સ્મૃતિમા કાર્યક્રમાેનુ અાયાેજન કરાયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ વહિવટી તંત્ર દ્વારા તારીખ 30મીઅે શહિદ દિન ઉજવવા તેમજ શહિદ દિનનુ મહત્વ સમજાય અને યાેગ્ય રીતે શહિદ દિન મનાવાય તે માટે સુચના અપાઇ હતી. અમરેલી તેમજ અન્ય તાલુકા મથકાેઅે પણ સવારે 11 કલાકે બે મિનીટનુ માૈન પળાયુ હતુ.

Related Posts