અમરેલી

જિલ્લા ભાજપ દ્બારા રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પ્રધાનમંત્રી આયુષ્ય માન કાર્ડમાટે ત.ક.મ.દ્બારા પ્રમાણીત આવકનો દાખલો માન્ય રાખવા રજુઆત કરેલ

પ્રધાનમંત્રી આયુષ્ય માન યોજના અંતર્ગત કઢાવવા માટે હાલ મામલતદાર અથવા ટી.ડી.ઓ.દ્બારા પ્રમાણીત આવકનો દાખલો જ માન્ય છે. જેના લીધે મામલતદાર ઓફીસ ઉપર આવકનો દાખલો કઢાવવા માટે લાંબી લાઈનો રહે છે. આ બાબતે અધિકારીઓને રજુઆત કરતા તેમણે અન્ય વધારાનાં બે કોમ્પ્યુટર ઓપરેટર મુકેલ હતા.

આના માટે જો ત.ક.મ.દ્બારા પ્રમાણીત એક લાખ સુધીની આવકનો દાખલો આયુષ્ય માન યોજના માટે માન્ય રાખવામાં આવે તેમજ આ મુશ્કેલીમાંથી મહદઅંશે રાહત મળી રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્બારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આ બાબતે સરકાર લેવલે થી વિચારણા કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરેલ છે.

Related Posts