જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારની ચયન પ્રક્રિયા માટે જિલ્લામાંથી નિરીક્ષકોની નિમણુંક કરાઈ આગામી તા .૨૬ અને ૨૭ ના રોજ મંડલ કક્ષાએ નિરીક્ષકો તમામ દાવેદારો અને આગેવાનોને સાંભળશે પ્રદેશ ભાજપની સુચના અનુસાર અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જિ.પં. તા.પં. અને પાંચ ન.પા.ની ચુંટણી યોજાવાની છે તેને અનુલક્ષીને જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારોની ચયનપ્રક્રિયા માટે નિરીક્ષકશ્રીની નિમણુંક કરવામાં આવેલ જેની યાદી નિચે મુજબ છે . જે ઉમેદવારોએ દાવેદારી કરવાની છે તેઓએ પ્રદેશ દ્વારા નિયત કરેલ ફોર્મ ભરવું ફરજીયાત છે . આ ફોર્મ સ્થાનિક મંડલ કક્ષાએથી પ્રમુખ , મહામંત્રીશ્રીઓ પાસેથી મેળવી તમામ દાવેદારોએ ભરેલ ફોર્મ સાથે લઈ નિરીક્ષક સમક્ષ દાવેદારી નોંધાવા જવું .



Recent Comments