અમરેલી

જિલ્લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૧૪ જૂન, ૨૦૨૨ના રોજ ભરતી મેળો યોજાશે

જિલ્લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા આગામી તારીખ ૧૪ જૂન,૨૦૨૨ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ,સી-બ્લોક,બહુમાળી ભવન,અમરેલી ખાતે સવારે ૧૧ કલાકે ભરતી મેળો યોજાશે. રોજગાર મેળામાં ભાગ લેવા માટે લઘુતમ લાયકાત ધોરણ ૧૦ કે ૧૨ પાસ અથવા આઈ.ટી.આઈની તકનિકી લાયકાત, ઉપરાંત વયમર્યાદા ૧૮થી ૩૦ વર્ષ રાખવામાં આવેલ છે. રોજગાર ઇચ્છુકોએ રોજગાર મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup  પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. આ વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં. 6357390390 પર સંપર્ક કરી શકાશે,તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે

Related Posts