અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અમરેલી ખાતે તા.૨૦ મીએ ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તે માટે જિલ્લા રોજગાર કચેરી, અમરેલી દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા હોય, લઘુતમ શૈક્ષણિક લાયકાત ધો.૮ પાસ તેમજ ધો.૧૨ પાસ શૈક્ષણિક લાયકાત  હોય તેમને ટ્રેઈની / મશીન ઓપરેટર તેમજ કોમ્પ્યુટર ઓપરેટર/સેલ્સ કન્સલ્ટન્ટની જગ્યા માટે રોજગારીની તકો છે.

અંજાર તેમજ અમરેલી ખાતેના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વેસ્પૂન ઇન્ડિયા પ્રા.લી. અને ઓરેંજ હુંડાઇ માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૦/ ૦૫ /૨૦૨૨ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, અમરેલી ખાતે યોજવામાં આવનાર આ ભરતી મેળામાં સંબંધિતોને ભાગ લેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાત સહિતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહે છે.

નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના  ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવો.

Related Posts