જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૨૭ સપ્ટેમ્બરે ભરતી મેળો યોજાશે
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત રીતે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે ખાલી જગ્યા તેમજ ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા, ધોરણ ૧૦ થી સ્નાતક અને આઈ.ટી.આઈની તકનીકી લાયકાત ધરાવનારની આવશ્યકતા છે. ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા.૨૭ સપ્ટેમ્બર,૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે આઈ.ટી.આઈ-અમરેલી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે. ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલા માળે,અમરેલીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments