સૌરાષ્ટ્રમાં ગુજરાતના અન્ય પ્રદેશોની સરખામણીએ કમોસમી વરસાદ વધુ વરસ્યો છે. સાથે જ હાલ રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિની અસર પણ મસાલા માર્કેટમાં પડી છે. ત્યારે તેની માઠી અસર કાઠીયાવાડી ભોજનમાં અનિવાર્ય એવા મસાલા પર પડી છે. માવઠાં અને ઠંડી ગરમીની ચિત્રવિચિત્ર ઋતુથી જીરુ, ધાણા જેવા કોમળ પાકને માઠી અસર થઈ છે. હાલ તમામ ચીજવસ્તુના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.જેની અસર મસાલા માર્કેટના વેપારીઓ પર પણ પડી છે. ગત વર્ષ કરતા આ વર્ષે મસાલા માર્કેટના વેપારીઓને કમાણીમાં પણ ૩૦ ટકા જેટલો ઘટાડો થશે. મસાલાની તેજીમાં જીરુ લીડર છે.
જીરાના વાવેતરમાં કાપ, અમુક અંશે બગાડ, ડેસ્ટિનેશન બજારોમાં નીચા સ્ટોક, નિકાસ પૂછપરછ, જેવા કારણોએ ખૂલતી સિઝને ઉડાઉડ તેજી થઇ ગઇ છે.મોંઘવારી હવે મસાલા માર્કેટમાં પણ જાેવા મળી છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો હાલ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ, તેલ, દૂધ એમ તમામ જીવનજરૂરિયાતની વસ્તુના ભાવ હાલ વધ્યા છે. એવામાં હવે મસાલા પણ મોંઘા થયા છે જેને લઈને ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. જીરું, ધાણા, મરચા, હળદર સહિતના ભાવમાં વધારો થતા હાલ ગ્રાહકી પણ ઓછી જાેવા મળી રહી છે. આ અંગે ગૃહિણીએ જણાવ્યું હતું કે, ઘરુપયોગી મસાલાના ભાવમાં હાલ ૨૦થી ૨૫ ટકા ભાવવધારો જાેવા મળી રહ્યો છે. જેનાથી અમારું બજેટ ખોરવાઈ ગયું છે.
Recent Comments