ગાંધી જયંતીના અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ગાંધીબાગ ખાતે કેન્દ્રિય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા અને સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા ડેરી ના ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલીયા તેમજ આગેવાનો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરાન્જલી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યાર બાદ આપના યશસ્વી પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “VOCAL FOR LOCAL”ને પ્રોત્સાહના આપવા માટે સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા અમરેલી ખાદી ભવન ખાતે પૂજ્ય ગાંધી બાપુને પ્રિય એવી ખાદી ની ખરીદી કરવામાં આવેલ તેમજ અમરેલી નગરપાલિકા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ ના ભાગ રૂપે સફાઈ કામદારો સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા.
આ તકે ભાજપ ના મહામંત્રી શ્રી રાજેશભાઇ કાબરિયા, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલિયા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરીયા, પુર્વે પ્રમૂખ ડો. ભરતભાઈ કાનાબાર, દિનેશભાઈ પોપટ, નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન સંજયભાઈ રામાણી, અમરેલી શહેર ભાજપ અને તાલુકા ભાજપના હદેદારશ્રીઓ, જીલ્લા ભાજપ મોરચાના હોદેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ.
Recent Comments