અમરેલી

જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ કલેકટરના અધ્યક્ષ સ્થાને અમરેલી ખાતે સાવરકુંડલા અને લીલીયા તાલુકાના વિવિધ પ્રશ્નો રજૂ કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

તા, ૨૧/૦૫/૨૦૨૨ ના રોજ  અમરેલી ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલ જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ ની બેઠકમાં વિવિધ સબંધિત વિભાગોના લગત પોતાના મતવિસ્તાર ના પ્રશ્નો બાબતે અગાઉ લેખિતમાં રજુઆતો કરેલ હતી તે અંગેની ત્રીજા શનિવાર નાં રોજ મળનારી બેઠકમાં તમામ વિભાગના અધિકારી સાથે ચર્ચા વિચારણા કરેલ જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકા નાં વિવિધ પ્રાણ પશ્નો જેવાકે પાણી,રસ્તાઓ, આરોગ્ય, વીજળી, ખેડૂતોના અન્યો પ્રશ્નોને પ્રાથમિકતા ધ્યાને લઇ સબંધિત વિભાગ ના અધિકારીઓને જરૂરી સૂચના અને સત્વરે કામગીરી કરવા અનુરોધ કરેલ હતો, જેમાં સા     સાવરકુંડલા  અને લીલીયા તાલુકાના ગામડાઓવિભાગના અધિકારી સાથે ચર્ચા કરી રોડ રસ્તા રીપેર તથા નવા બનાવાવની દરખાસ્ત કરવા જણાવેલ હતું,

આરોગ્ય બાબતે ગામોમાં પુરતી સુવિધાઓ આપવા અને લોકો, વીજળી બાબતે સાવરકુંડલા તાલુકા તથા  લીલીયા તાલુકાઓના ગામોમાં ખેતીવાડી વીજળી માટે અરજદારો હેરાન પરેશાન થતા હોય છે તે અંગે સબંધિત વિભાગના અધિકારી સાથે આ અંગેની જરૂરી માહિતી મેળવવામાં આવેલ અને લોકોને સમયસર વીજ પુરવઠો આપવામાં આવે અને તેમના પ્રશ્નો નો નિકાલ આવે તેવી ખાસ સૂચના આપવામાં આવેલ તેમજ ખેડૂતોના પશ્ને તેઓની અરજીઓ કરવા છતાં તેઓના પ્રીમીયમ નાં નાણા મળેલ નહોય તે અંગે આ સબંધિત વિભાગના અધિકારી પાસેથી સંપૂર્ણ પણે માહિતી માગેલ હતી અને  તેમાં નીયામોનુંસરની કાર્યવાહી કરાવવા જણાવેલ હતું                

આમ સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તારના સાવરકુંડલા-લીલીયા તાલુકાના તમામ લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી લોકો હેરાન પરેશાન નથાય અરજદારોને ખોટા ધર્મ નાં ધક્કા ખાવા નપડે અને તેઓને ન્યાય મળી રહે તેવા શુભઆશ્ય ને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે તેમનો નિકાલ થાય તે હેતુસર ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત દ્વારા  કલેકટરનાં અધ્યક્ષ સ્થાને મળેલ જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ હેઠળ ની બેઠકમાં જીલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ માં પ્રશ્નો રજુ કરવામાં  અને તેમનો ઉકેલ લાવવામાં આવેલ છે.

Related Posts