સૌરાષ્ટ - કચ્છ

જુનાગઢ નાયબ વન સંરક્ષક કચેરી ખાતે ખેડૂતોના લગતા પ્રશ્નો માટે યોજાયેલી બેઠકમાં અધિકારીઓ રહ્યા ગેરહાજર

જુનાગઢ ના નાયબ વન સંરક્ષક કચેરી ખાતે ખેડૂતો ને લગતા પ્રશ્નોના ઉકેલ માટે એક બેઠક યોજાઇ હતી જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને મામલતદાર હાજર ન રહેતા અનેક પ્રશ્નોનો ઉકેલ આવ્યો ન હતો જૂનાગઢના નાયબ વન સંરક્ષક કચેરી ખાતે આજે કિસાન સંઘ અને વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેતીવાડીના વીજ જોડાણ રસ્તા પાણી પુરવઠા સહિતના પ્રશ્નો ની દરખાસ્ત ના ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી હતી આ દરખાસ્ત વન વિભાગ મંજુર કરવામાં આવી છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ વિસાવદર અને મેંદરડા મામલતદાર હાજર ન રહેતા ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો ન હતો આ બેઠકમાં કિસાન સંઘે વન્ય પ્રાણી ઓને પાણી પીવા માટે રેવન્યૂ વિસ્તારમાં અને ખેડૂતોને હાનિ ન પહોંચે તે માટે પાણી ના નવા અવેડાઓ બનાવી દરરોજ પાણી ભરવામાં આવે તેવી માંગ કરી હતી સરકારી તંત્ર ના સંકલનના અભાવે વધુ એકવાર ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે ખેડૂતો માટે રાખેલી બેઠકમાં ખુદ અધિકારીઓ જ ગેરહાજર રહેતા ભારે રોષ ફેલાયો હતો

Related Posts