અમરેલી

જુલાઈ-૨૦૨૪ દરમિયાન ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી

સમગ્ર જિલ્લામાં જૂન-૨૦૨૪ મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. મચ્છર ઉત્પતિ સ્થાનોને નિયંત્રિત કરીને ડેન્ગ્યુ, ચિકનગુનિયાનો ફેલાવો અટકાવી શકાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરથી થતાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગને ફેલાતા અટકાવવા માટે અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આગોતરા આયોજન સાથે કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના નાગરિકો પણ આ અંગે જાગૃત્ત બને, મચ્છરના ઉપદ્રવના સ્થાનોને નિયંત્રિત કરે તે જરુરી છે.

માદા એનોફિલીસ એ મચ્છર મેલેરિયાનો ફેલાવો કરે છે, જે મોટેભાગે રાત્રે કરડે છે. માદા એડીસ મચ્છરથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ ફેલાઇ છે. માદા ક્યુલેક્સ હાથીપગાનો ફેલાવો કરે છે. આ તમામ મચ્છરજન્ય રોગનો અગાઉથી જ ફેલાતો અટકાવવા માટે મચ્છર ઉત્પતિ અટકાવવી જરુરી છે. જ્યાં ચોખ્ખું-ખુલ્લું અને બંધિયાર પાણી મળે ત્યાં મચ્છર ઉત્પતિ થાય છે. આથી પાણી સંગ્રહના તમામ પાત્રો, હવાચુસ્ત ઢાંકીને રાખવા સાથે ઘરમાં કે ઘરની બહાર ક્યાંય પાણીનો ભરાવો ન થવા દેવો, ફ્રિજની પાછળની ટ્રે, પક્ષીકુંજ, પશુઓને પાણી પીવાની કુંડી સહિત સ્થાનો પર પાણી ખાલી કરવા, તેને સુકાવા દેવા. છત, છાજલી, અગાસી પર પડેલા નકામા ભંગાર, ટાયર વગેરેનો યોગ્ય નિકાલ કરવો.

ખુલ્લા ટાંકા, અવેડા કે જ્યાં કાયમ પાણી ભરાયેલું રહેતું હોય તેવા સ્થાનો પર પોરાભક્ષક માછલી – ગપ્પી કે ગામ્બુશીયા મૂકવા સહિતની કાળજી લેવી જોઇએ, જેથી મચ્છરજન્ય રોગચાળાને ફેલાતા પૂર્વે અટકાવી શકાય, તેમ અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.  

Related Posts