શિવરાત્રીના મેળાની પૂર્ણહૂતિ ને હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સાધુ સંતો અને ભારત ભર માથું આવેલા અખાડાઓ રવેડીમાં જાેડાવાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. શિવરાત્રીના મેળામાં કિન્નર અખાડો પણ હર્ષુ ઉલ્લાસથી શિવરાત્રીમાં યોજાતી રવેડીનો ભાગ બનશે. હર હર મહાદેવના નાથ સાથે અલગ અલગ અખાડાના રથો બેન્ડ,વાજા, ઢોલ,શરણાઈના સૂર ભક્તિભાવ સાથે નીકળશે ત્યારે લાખોના અવિરત પ્રવાહ થી યોજાતા શિવરાત્રી મેળામાં હર હર મહાદેવના નાથ સાથે આખરી કલાકો તરફ જઈ રહ્યું છે .ત્યારે વહીવટી તંત્ર પોલીસ તંત્ર પણ રવેડી ને લઇ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેળાને આખરી ઉપ આપી રહ્યા છે. લોકો નાગા સાધુઓની રવેડી જાેવા માટે કલાકો સુધી રોડ પર પહેલેથી જ બેસી જતા હોય છે ત્યારે રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાહી રવેડી નીકળશે અને ત્યારબાદ મોડી રાતે મૃગીકુંડમાં સાધુ-સંતો સ્નાન કરશે અને શિવરાત્રીની પૂર્ણાથી જ થશે..
જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં નાગાબાવાઓ શાહી રવેડી કાઢીને મૃગીકુંડમાં કરશે શાહી સ્નાન

Recent Comments