જૂનાગઢ મહાનગરપાલિકાએ ૧૦૦ કરોડ સામે અંદાજે ૩૪ કરોડ રૂપિયાની વેરા વસુલાત કરી છે. જેને વિપક્ષે નબળી કામગીરી ગણાવી છે. આ અંગે મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ઘરવેરા સુપ્રી ટેન્ડેન્ટ વિરલ જાેશીએ જણાવ્યું હતું કે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઘરવેરા શાખા અંતર્ગત સામાન્ય કર સફાઈ કર, ગાર્બેજ કલેક્શન ,એજ્યુકેશન, પાણી, સફાઈ જેવા વેરા વસુલાત કરવામાં આવે છે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાએ આ વર્ષે કર પેટે ૧૦૪ કરોડ રૂપિયાની વસૂલાત કરવાની થતી હોય. જેમાં ચાલુ વર્ષે ૩૪.૪૭ કરોડ ની વસુલાત કરવામાં આવી છે.
તેમજ મહાનગરપાલિકા અંતર્ગત આવતી સરકારી મિલકતો નો પણ સમાવેશ થયેલો છે જેનો અંદાજિત ૬ કરોડ નો કર વસૂલવાનો બાકી છે. ચાલુ વર્ષે કર બાબતે વ્યાજ માફી ની સો ટકા સ્કીમ ની પણ અમલવારી કરવામાં આવી હતી.જેમાં ૧૪,૭૭૦ લોકોએ આ વ્યાજ માફી ની સ્કીમ નો લાભ લીધો હતો.અને જેમાં વ્યાજ વળતર પેટે બે કરોડ એકાસી લાખ રૂપિયા નો વળતરનો લાભ આપવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના કરવેરા વસુલાત બાબતે વિપક્ષ કોર્પોરેટર લલિત પણસારાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા ૧૦૦ કરોડ ઉપર નો વેરા વસુલવાનો હોય તેમાંથી માત્ર ૩૫ થી ૪૦ કરોડ ની વસુલાત કરવામાં આવી છે. ત્યારે ૫૦ % વેરો વસૂલ્યો છે.જેને લઇ કાયદેસર અને નિયમિત રીતે ટેક્સ ભરનાર લોકો ને વધારાનો કરબોજ ભરવો પડે છે.
તો બીજી તરફ ઘણા વર્ષોથી આવું થાય છે અને લોકલ ફંડ અને સરકારી ઓડિટે પણ કહેલું છે કે વેરા વસુલાતની કામગીરી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નબળી કરવામાં આવે છે. જેને લઇ મહાનગરપાલિકા ની આર્થિક સ્થિતિ નબળી પણ ખરાબ છે. તો મહાનગરપાલિકાએ પણ સ્કીમ મૂકી ,યોજનાઓ બનાવી, વેરા વસુલાત ભરવા માટેના પ્રચાર પ્રસાર કરવો જાેઈએ. પરંતુ મહાનગરપાલિકા પાસે ઇન્ચાર્જ અધિકારીઓ છે જેને લીધે એક અધિકારી પાસે એક થી વધુ ચાર્જ હોવાથી કામગીરી થતી નથી અને અધિકારી પાસે સમય રહેતો નથી જેથી તાત્કાલિક અસરથી વ્યવસ્થિત અધિકારી વેરો વસૂલવાની કામગીરી આયોજન મધ કામગીરી કરવી જાેઈએ..
Recent Comments