જુનાસાવર ગામે તા-૧/૭/૨૦૨૩ ના આવેલ પૂરના કારણે થયેલ નુકશાન અંગે ભાજપ અગ્રણી કમલેશભાઈ કાનાણી દ્વારા ગાંધીનગર રુબરુ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી પરશોતમભાઈ સોલંકી, શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલજીને મળી લેખિત રજુઆત કરી તાત્કાલિક સવેઁ કરી સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શેત્રુંજીની બન્ને સાઈડ બોરાળા તરફ અને ક્રાકચ બાજુ પ્રોટેક્શન વોલ બનાવવાની પણ તેમણે રજુઆત કરેલ. આમ ખેડૂતોના હિત માટે સતત ચિંતિત કમલેશભાઈ કાનાણી સાવરકુંડલા વિસ્તારનાં ભાજપના એક ગણમાન્ય અગ્રણી છે.
જૂના સાવર ગામે પુરના પાણીથી થયેલ પાક નુકસાન તથા જમીન ધોવાણ સંદર્ભે તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવા મુખ્યમંત્રી ને લેખિત રજૂઆત

Recent Comments